ખરક: એક લાજવાબ સંસ્કૃતિ; અસીમ પ્રગતિ
ખરક એ અડધા લાખ કરતા પણ ઓછી વસ્તી ધરાવતો અને મુખ્યત્વે ભાવનગર જિલ્લામાં વસવાટ કરતો પ્રભાવશાળી સમાજ છે. ખરક સમાજ નો યુવાવર્ગ પોતાનાં ગૌરવપૂર્ણ સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાથી અને વિશિષ્ટ કલા તેમજ ઇતિહાસથી જાણકાર થાય તે હેતુથી આ ટૂંકો લેખ લખવામાં આવ્યો છે અને લખાણ કરતા પહેલા પ્રમાણભૂત પુરાવાઓ અને જરૂરી સંદર્ભો એકત્રિત કરવામાં આવ્યા છે. ખરક મૂળભૂત રીતે રાજસ્થાનનાં ભીનમાલ વિસ્તારનાં જૈન વાણીયા છે. આર.ઈ.એન્થોવેનની the tribes and castes of bombay state volume 2 માં પેજ નંબર ૧૯૬-૧૯૯ પર ખરક ને રાજસ્થાનના ભીનમાલના જૈન વાણીયા તરીકે ઓળખાવ્યા છે.(ફોટો સંદર્ભ) આ વિસ્તારમાં રાજકીય અસ્થિરતા અને દુકાળ જેવી ભૌગોલિક વિષમતાનાં કારણે મૂળભૂત વ્યવસાય નાશ પામતા તેઓએ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં સ્થળાંતર કર્યું હતું ઉજ્જૈનમાં પોતાની જ કોમ સાથે અણબનાવ બનતા તેઓથી અલગ વસવાટ કર્યો હતો અને ત્યાંથી સ્થળાંતર કરીને ગુજરાતમાં ધોળકામાં વસવાટ કર્યો. ધોળકામાં કણબીની જીવન પ્રણાલી ગ્રહણ કરી કણબીની ખેતી અને કલા સંસ્કૃતિ અપનાવી. અહીં તેઓએ કણબી સાથે રોટી વ્યવહાર પણ ચાલુ કર્યો. આ મહત્વની ઘટના ઈ.સ. ૮૨૫ આસપાસ બની હતી. 'ધી સ્ટ...













Comments