સહભાગી સિંચાઈ વ્યવસ્થાપન
v ખેતીમાં સિંચાઈનું મહત્વ આપણા દેશની મોટા ભાગની વસ્તી ગ્રામવિસ્તારમાં વસે છે. તેમની આજીવિકાનો મુખ્ય આધાર ખેતી છે. સારી ખેતી જમીનની ફળદ્રુપતા, બિયારણની ગુણવત્તા,ખેડૂતની મહેનત વગેરે ઘણા પરિબળો ઉપર આધાર રાખે છે, પણ સોથી મહત્વનું પરિબળ પાણી છે, વાવેતરથી માંડીને કાપણી સુધીના પાકના વિકાસ અને ઉત્પાદનના પ્રત્યેક તબક્કે પાકને યોગ્ય પ્રમાણમાં પાણીની જરૂરિયાત રહે છે. જો યોગ્ય પ્રમાણમાં સમયસર પાણી ન મળે તો પાકના વિકાસ અને ઉત્પાદન પર અવળી અસર થાય છે. ખેતી માટે પાણી મેળવવાના ખેડૂત પાસે ત્રણ આધાર હોય છે:૧ વરસાદ, ૨ ભૂગર્ભજળ અને ૩ નહેર. જાણકારીને અનુભવી ખેડૂતો જાણે છે કે પિયતની ચોક્કસ અને પુરતી સગવડ હોય તો જુવારનું ઉત્પાદન બમણું,બાજરી,કપાસ,મગફળીનું ત્રણ ગણું અને ઘઉંનું ઉત્પાદન ત્રણથી ચાર ગણું થઇ શકે છે. તેથી જ ખેડૂતો શિયાળુ-ઉનાળુ પાક લેવા તેમ જ વરસાદની અનિયમિતતાની ઉત્પાદન-આવક પર અસર ન થાય તે માટે પોતાની રીતે પિયતની સગવડ ઉભી કરવા પ્રયત્ન કરે ...